સંબંધિત સમાચાર
- મહુડી મંદિરમાં ઉચાપતનો કેસ, માણસા કોર્ટે બંને આરોપી ટ્રસ્ટીઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યાં
- સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હાલ કોરોના કાબુમાં પણ સિનિયર સિટિઝન પર ધ્યાન આપવું જરૂરી
- CBSE બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર- 2024 થી MCQ આધારિત પ્રશ્નો વધુ પૂછવામાં આવશે
- ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ ?- ઓનલાઈન ગેમિંગથી સંબંધિત નવા નિયમ
ગુજરાત સરકારનો નિર્ણય, વધારાના વીજ લોડ પર ખેડૂતોને દંડમાંથી મુક્તિ, ચાર્જ વીજ કંપની ભોગવશે સરકારના નિર્ણય પ્રમાણે સ્થળ પર પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે
રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોએ હવે વધારાના વીજ લોડ પર દંડ નહીં ભરવો પડે. હવે સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ પણ વધારી શકાશે.ગુજરાત સરકાર સમક્ષ કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે અને રાજ્યના અનેક ખેડૂતોને ખેતી માટે મોટી રાહત મળી છે.
કિસાન સંઘની રજૂઆત બાદ લેવાયો નિર્ણય
લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. બીજી તરફ સરકારે સ્વૈચ્છિક જાહેર યોજનાની સમય મર્યાદા વધારવામાં આવી છે. આ યોજનાની મુદ્દત 31 મે 2023 સુધી લંબાવાઈ છે. કિસાન સંઘની રજૂઆત પર સરકારે આ નિર્ણય લીધો છે.
